કોરોનાના 13,405 નવા કેસ, 235નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,405 નવા કેસ નોંધાયા છે.  જે ગઈ કાલની તુલનાએ 16.5 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 235 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,28,51,929 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,12,344 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,21,58,510 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34,226 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,81,075એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.38 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,84,247 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 76.12 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 1.24 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.98 ટકા છે.

 દેશમાં 175.83 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,75,83,27,441 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 35,50,868 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.