કોરોનાના 13,154 નવા કેસ, 268નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના વાઇરસના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 13,154  નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 43 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 268  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,48,22,040 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,80,860 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 961એ પહોંચી છે, જેમાં 320 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 22 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ દિલ્હીમાં 263 નોંધાયા છે અને બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 252 કેસો છે. દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે.દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,58,778 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7486 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 82,402એ પહોંચી છે, જે 579 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.38 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,99,252 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 67.64 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 143.83 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,43,83,22,742 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 63,91,282 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.