કોરોનાના 1190 નવા કેસ, 1375નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1190 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1375 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 219.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,55,828 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. પંજાબમાં મોતના આંકડા સુધરાતાં 1369 ઉમેરાયા હતા અને કેરળમાં બે મોતના આંકડા સુધારવામાં આવ્યા હતા, એમ મંત્રાલયે જણાવ્યું હતું. 

દેશમાં અત્યાર સુધી 5,30,452 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,09,133 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1375 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 16,243એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.04 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.78 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,57,091 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 90.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 1.59 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.08 ટકા છે.

દેશમાં 219.66 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,19,66,16,127  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1,23,859 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.