પરમબીર સિંહ મુંબઈના નવા પોલીસ કમિશનર

મુંબઈ:  મહાનગરના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થતાં આજે તે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે શહેરના નવા પોલીસ કમિશનર તરીકે મહારાષ્ટ્ર એસીબીના ચીફ પરમબીર સિંહ કમાન સંભાળશે. પરમબીર સિંહ 1988ની બેન્ચના આઈપીએસ અધિકારી છે.

 

પરમબીર સિંહ તેની દબંગગીરી માટે પોલીસ વર્તુળમાં જાણીતું નામ છે. પરમબીર સિંહ આ પહેલા એટીએસમાં પણ રહી ચૂક્યા છે. એટીએસમાં તેમની પોસ્ટીંગ દરમ્યાન તેમણે 26/11 આતંકી હુમલા દરમ્યાન ઓબેરોય હોટલમાં ઘુસેલા આતંકીઓ વિરુદ્ધ બે દિવસ મોરચો સંભાળ્યો હતો. આ ઉપરાંત તે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની તપાસને પણ અંજામ આપી ચૂક્યા છે.

મહત્વનું છે કે, મુંબઈ પોલીસ કમિશનરની રેસમાં પરમબીર સિંહનું નામ સૌથી આગળ હતું અને અંતે તેના પર પસંદગી ઉતારવામાં આવી છે. આ ઉપરાંત આ પદની રેસમાં 1990ની બેન્ચના આઈપીએસ ઓફિસર સદાનંદ દાતે અને 1988 બેન્ચના આઈપીએસ અધિકારી રજનીશ સેઠ પણ સામેલ હતા.