આતંકવાદી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ

મુંબઈમાં 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નેતા આતંકી હાફિઝ સઈદને ભારત લાવવાની ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે પાકિસ્તાન સરકાર પાસે આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની સત્તાવાર માંગ કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટ જણાવે છે કે ભારતે પાકિસ્તાનને હાફિઝ સઈદને સોંપવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે.

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદને ભારત લાવવામાં આવશે! પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે ભારતે આ માંગ કરી હતી.