ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ ભારતીય અધ્યાત્મ જગતની આત્મા છે. બંને દેવતા ‘રામાયણ અને ‘ભાગવત’ કથાના વાંગમય સ્વરૂપે પ્રવાહી અને પવિત્ર પરંપરામાં પ્રસ્થાપિત છે. ભગવાન રામની કથાના આધિકારિક વક્તાઓમાં આદર સાથે અગ્રહરોળના વક્તા મોરારિબાપુ દ્વારા રામવનગમનના માર્ગના મુખ્ય પડાવો પર એક-એક દિવસ કથા કરી શ્રીલંકા અને ત્યાંથી અયોધ્યા સુધીની કથાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કથાયાત્રા વિશેષ ટ્રેનમાં ચાર સો જેટલા શ્રોતાઓ સાથે નિશ્ચિત પડાવો સુધી પહોંચશે અને કોલંબો (શ્રીલંકા)થી વિમાનયાત્રા દ્વારા અયોધ્યા પહોંચી વિરામ લેશે.
આ રહ્યા રામકથાયાત્રાના આશ્રયસ્થાન
તા.25.10.25 અત્રિમુની આશ્રમ, ચિત્રકૂટ (મધ્ય પ્રદેશ)
તા. 26.10.25 અગત્સ્યમુનિ આશ્રમ, સતના (મધ્ય પ્રદેશ)
તા.27.10.25 પંચવટી (મહારાષ્ટ્ર)
તા.28.10.25 શબરી આશ્રમ (કર્ણાટક)
તા.29.10.25 ઋષ્યમુક પર્વત, હમ્પી (કર્ણાટક)
તા.30.10.25 પ્રવર્ષન પર્વત (કર્ણાટક)
તા.1.11.25 રામેશ્વરમ (તમિલનાડુ)
તા.3.11.25 કોલંબો (શ્રીલંકા)
તા.4.11.25 અયોધ્યા (ઉત્તર પ્રદેશ)
 ભારતના 5 રાજ્યોમાં અને શ્રીલંકા થઈ અયોધ્યા આઠ હજાર કિલો મીટરની યાત્રા 11 દિવસમાં પૂર્ણ કરી વિરામ લેશે. મોરારિબાપુએ આ 966મી ઐતિહાસિક કથાને ‘માનસ રામયાત્રા’ નામ આપ્યું છે. આ કથાને હનુમાનજી મહારાજના આશ્રયમાં આયોજિત સહજ યાત્રા, કેવળ અસ્તિત્વની કૃપાનું પરિણામ ગણાવી છે.
ભારતના 5 રાજ્યોમાં અને શ્રીલંકા થઈ અયોધ્યા આઠ હજાર કિલો મીટરની યાત્રા 11 દિવસમાં પૂર્ણ કરી વિરામ લેશે. મોરારિબાપુએ આ 966મી ઐતિહાસિક કથાને ‘માનસ રામયાત્રા’ નામ આપ્યું છે. આ કથાને હનુમાનજી મહારાજના આશ્રયમાં આયોજિત સહજ યાત્રા, કેવળ અસ્તિત્વની કૃપાનું પરિણામ ગણાવી છે.
આ પૂર્વે ખાસ ટ્રેન દ્વારા 27 જુલાઈથી 8 ઑગસ્ટ 2023 સુધી માનસ 900 ( દ્વાદશ જ્યોતિર્લિંગ) ભારતભરના જ્યોતિર્લિંગમાં અગિયાર દિવસની યાત્રા કરી નવ દિવસીય રામકથાનું ગાન મોરારીબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. સનાતનના પવિત્ર અને પ્રવાહી પ્રવાહમાં પોતાના સદગુરુ પૂ.ત્રિભુવનદાસદાદાના કથા પ્રસાદને પોતાની આગવી શૈલી અને મૌલિકતા સાથે બાપુ વહેંચી રહ્યા છે.
(અરવિંદ ગોંડલિયા-સુરત)
 
         
            

