નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે મુસ્લિમ સમુદાય માટે અનામતનો વધુ એક મોટો નિર્ણય લીધો છે. CM સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે હાઉસિંગ સ્કીમ (આવાસ યોજના) હેઠળ મુસ્લિમ સમુદાય માટેનો ક્વોટો પાંચ ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે મુસ્લિમોને રહેવા માટેના મકાનની યોજનામાં 10 ટકાને બદલે 15 ટકાનું અનામત મળશે.
સરકારનો નિર્ણય શો છે?
કર્ણાટકની કોંગ્રેસ સરકારે અગાઉ સરકારી કોન્ટ્રેક્ટમાં મુસ્લિમ સમુદાયને અનામત આપવાનો નિર્ણય લીધો હતો. હવે રાજ્ય સરકારે મુસ્લિમ સમુદાયને આવાસ યોજનામાં વધુ આરક્ષણ આપવા માટે કેબિનેટમાં નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેઠાણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ મુસ્લિમ સમુદાયના લોકોને મળશે. અત્યાર સુધીમાં આવાસ લાભાર્થીઓ માટે 10 ટકા અનામત અલ્પસંખ્યકો માટે નક્કી કરાઈ હતી, જે હવે વધારીને 15 ટકા કરાઈ છે.
#IssWaqt | Karnataka increases Muslim housing quota, move stirs controversy
DD’s Consulting Editor @vinodmishra64 breaks it down#Watch | https://t.co/iYUosy8IAl#KarnatakaCongress #MuslimReservation pic.twitter.com/rDGiVEee42
— DD News (@DDNewslive) June 20, 2025
DK શિવકુમાર શું બોલ્યા?
રાજ્યના ઉપમુખ્ય મંત્રી DK શિવકુમારએ કહ્યું કે રાજ્યમાં વસતીના પ્રમાણને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના અનુસાર રાજ્યમાં સરકારના અનેક પ્રોજેક્ટ ખાલી છે અને તેને ભરણ પણ જરૂરી છે. મુસ્લિમ સમુદાયની વસતીને જોતાં ક્વોટામાં વધારો કરાયો છે. એ સાથે-સાથે તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપને મુસ્લિમને નામે માત્ર રાજકારણ કરતાં આવડે છે, અન્ય કંઈ નહીં.
