ઇઝરાયલનો મિસાઇલ, ડ્રોનથી ઇરાન પર હુમલો

નવી દિલ્હીઃ ઇરાને 300 મિસાઇલ અને ડ્રોન હુમલા પછી ઇઝરાયેલે ઇરાન પર પલટવાર કર્યો છે. પશ્ચિમી દેશોએ ઇઝરાયેલને ઇરાન પર જવાબી કાર્યવાહી ના કરવાની પણ સલાહ આપી હતી, પરંતુ ઇઃઝરાયેલી PM બેન્જામિન નેતાન્યાહૂએ શાખ જાળવવા માટે ઇરાનના કેટલાંય સ્થાનો પર મિસાઇલોનો મારો કર્યો હતો.

ઇરાને મિસાઇલી હુમલાથી બચવા માટે દેશનાં તમામ શહેરોમાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે. ઇઝરાયેલે ઇરાનના એરપોર્ટને ટાર્ગેટ કર્યાં હતાં. જેને પગલે અનેક ફ્લાઇટોને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ આ હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ.

ઇઝરાયેલે આ હુમલો એવા સમયે કર્યો હતો, જ્યારે ઇરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની ધરતીથી ઇઝરાયેલને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી તો એ પૂરી તાકાતથી એનો જવાબ આપશે. આ દાવા ઠીક પછી ઇઝરાયેલે હુમલો કરીને જવાબી કાર્યવાહી

કરી હતી. જોકે ઇરાની અધિકારીઓ આ વાતને ફગાવી દીધી હતી કે તેમના દેશમાં કોઈ હુમલો થયો છે. ઇઝરાયેલે આ હુમલો કર્યો હતો, જેમાં અમેરિકાનો કોઈ હાથ નથી.જોકે ઇઝરાયેલે હુમલાની માહિતી અમેરિકાને આપી હતી.

આ પહેલાં ઇરાને 13 એપ્રિલે ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોન એટેક કર્યો હતો. ઇરાને ઇઝરાયેલે 300થી વધુ અલગ-અલગ ડ્રોન હુમલો કર્યો હતો, પણ સામે ઇઝરાયેલે એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને સક્રિય કરતાં 99 ટકા હુમલા સફળ નહોતા થઈ શક્યા.