નવી દિલ્હીઃ અમેરિકા સાથે વધતા તણાવ બાદ હવે ઈરાને ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે કે તે વર્ષ 2015ની પરમાણુ સમજૂતી અંતર્ગત લાગુ કરવામાં આવેલી કોઈપણ શરતને નહી માને. તહેરાનમાં ઈરાની મંત્રીમંડળની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે. ઈરાન દ્વારા આ મોટી પ્રતિક્રિયા ત્યારે આવી છે કે જ્યારે તાજેતરમાં જ બગદાદમાં અમેરિકી એરસ્ટ્રાઈકમાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે.
મંત્રી મંડળની બેઠક બાદ કહેવામાં આવ્યું કે, હવે તે પરમાણુ સંવર્ધન માટે પોતાની ક્ષમતા, તેનું સ્તર, તેને સમૃદ્ધ કરવા માટે અન્ય સામગ્રીનો ભંડાર કરવા, વગેરે સહિતની કોઈપણ રોકનું પાલન નહી કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2018 માં આ સમજૂતીને રદ્દ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે અમે ઈરાન સાથે સમજૂતી કરવા નથી ઈચ્છતા જે તેના પરમાણુ કાર્યક્રમ અમે બેલેસ્ટિક મિસાઈલના વિકાસ પર અનિશ્ચિતકાલીને રોક લગાવશે. ઈરાને આ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને બાદમાં સમજૂતી અંતર્ગત કરવામાં આવેલા પોતાના વાયદાઓથી પીછેહટ કરી હતી.
ઈરાને હંમેશા એ વાત પર જોર આપ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે પરંતુ સંદેહ હતો કે પરમાણુ બોમ્બ વિકસિત કરવાનો કાર્યક્રમ હતો. બાદમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અમેરિકા અને યૂરોપીય સંઘે 2010 માં ઈરાન પર પાબંદી લગાવી હતી. વર્ષ 2015 માં ઈરાનની 6 દેશો સાથે સમજૂતી થઈ, આ દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ચીન, રશિયા અને જર્મની હતા. આ સમજૂતી અંતર્ગત ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમોને સીમિત કર્યા.
