શું ખરેખર ઈરાનના પરમાણુ બોમ્બના નિશાન પર છે યુએસ-ઈઝરાયલ?

નવી દિલ્હી: ઈરાન-અમેરિકા વચ્ચે શરુ થયેલા ઘર્ષણ વચ્ચે અનેક નવા સવાલો ઉભા થયા છે. હાલમાં જે રીતે ઈઝરાયલે ઈરાનના પરમાણુ બોમ્બ અંગે ચિંતા વ્યક્ત કરી એ સંબંધિત કેટલાક સવાલોની તપાસ જરૂરી છે. આ સ્થિતિમાં મોટા પ્રશ્ન એ છે કે, શું ખરેખર ઈરાન પણ નાઝી જર્મનીના પગલે આગળ વધી રહ્યું છે? શું ઈરાનનો પરમાણુ બોમ્બ યહુદી રાજ્યો માટે ખતરનાક છે? જે રીતે અમેરિકા અને ઈઝરાયલ એકજુથ થઈને દુનિયાના નેતાઓને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આહવાન કર્યું એ જોતા આ ચિંતા વાજબી છે. સદામ પછી હવે મધ્ય એશિયામાં ઈરાનનું જાની દુશ્મન ઈરાક નથી રહ્યું. હવે તેની લડાઈ સીધી ઈઝરાયલ સાથે છે.

 શીત યુદ્ધ અને ખાડી યુદ્ધ પછી મધ્ય એશિયાના સમીકરણો બદલાયા છે. એ યુગમાં ઈરાન-ઈરાક આંતરિક યુદ્ધમાં વ્યસ્ત રહ્યા. પણ શીત યુદ્ધ અને સદામ હુસેનની સત્તા સમાપ્તિ પછી આ વિસ્તારમાં વ્યૂહાત્મક સ્થિતિ બદલાઈ ગઈ છે. સદામ પછી ઈરાક નબળું પડ્યું અને તે સ્પષ્ટ રીતે શિયા-સુન્ની અને કુર્દ વચ્ચે વહેંચાઈ ગયું છે. આ સ્થિતિમાં મધ્ય એશિયામાં ઈરાનનું સૌથી મોટું વિરોધી ઈઝરાય બની ગયું છે. જેથી અમેરિકા અને ઈઝરાયલની એ ચિંતા પણ વાજબી છે. આ ચિંતમાં વધારો ત્યારે થયો જ્યારે ઈરાન પરમાણુ બોમ્બના નિર્માણકામમાં લાગ્યું.

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ તેહરાનની તુલના એક અત્યાચારી સાથે કરી છે. તેમણે કહ્યું કે, વિશ્વને ઈરાનથી સાવચેત રહેવાની જરૂર છે. નેતન્યાહુએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનું આહવાન કરતા તેમની તુલના નાઝી જર્મની અને હિટલર સાથે કરી. નેતન્યાહુએ જેરુશલમને રાજ્ય અને સરકારના 40થી વધુ પ્રમુખોને એક્ઠા થવા કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ઈરાન જે રીતે પરમાણુ હથિયાર વિકસિત કરી રહ્યું છે તેનાથી યહુદીની સાથે વિશ્વને પણ ખતરો ઉભો થયો છે. તેમનું એક માત્ર ઉદેશ્ય યહુદી રાજ્યને ખતમ કરવાનો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કટાક્ષ કરતા કહ્યું કે, ઈરાનના પરમાણુ બોમ્બથી વિશ્વને બચાવવાની જવાબદારી સંયુક્ત રાષ્ટ્રના ખંભા પર છે. પુતિને વધુમાં કહ્યું કે, દ્વિતિય વિશ્વયુદ્ધના વિજેતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બની ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિએ રશિયાને વૈશ્વિક પાવર બ્રોકરના રૂપમાં આગળ ધપાવ્યું છે. તેમણે વૈશ્વિક અસ્થિરતાને ખતમ કરવા માટે વિકસિત રાષ્ટ્રોના શિખર સમ્મેલન પર ભાર મૂક્યો.