આ પ્રાણીના લોહીમાંથી બની શકે છે કોરોનાની દવાઃ વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ખતમ કરવા માટે વૈજ્ઞાનિકો હજી વેક્સિન શોધી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. બેલ્જિયમના કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે અમેરિકામાં મળી આવતી ઉંટની એક પ્રજાતિના લોહીમાંથી કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી શકાય છે.

વિલામ્સ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોટેક્નોલોજીના સંશોધકોએ દાવો કર્યો છે કે લામાના લોહીથી કોરોના વાયરસના કહેરને બેઅસર કરી શકાય છે. કોવિડ-19 ના ફેમિલી વાયરસ MERS અને SARS ના કેસોમાં પણ લામાના લોહીમાં ઉપ્લબ્ધ એન્ટીબોડી પ્રભાવી સાબિત થયા છે.

જો કે, તે શોધ એચઆઈવીના રિસર્ચનો એક ભાગ હતી. સંશોધકોનું કહેવું છે કે, લામાના એન્ટીબોડીઝ માણોસોના એન્ટીબોડીઝની તુલનામાં ખૂબ નાના હોય છે. નાના એન્ટીબોડીઝ હોવાના કારણે વાયરોલોજિસ્ટ લોહીમાં ઉપ્લબ્ધ અણુઓની મદદ લઈને કોવિડ-19 વિરુદ્ધ વેક્સિન અથવા ડ્રગ બનાવી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આને નેનોબોડી ટેક્લોનોજી કહે છે.

નાના એન્ટીબોડીઝ હોવાના કારણે વાયરોલોજિસ્ટ લોહીમાં ઉપસ્થિત નાના અણુઓની મદદ લઈને કોવિડ-19 વિરુદ્ધ વેક્સિન અથવા ડ્રગ બનાવી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આને નેનોબોડી ટેક્નોલોજી કહેવામાં આવે છે.

દક્ષિણ કોરિયામાં થયેલા એક અન્ય રિસર્ચ અનુસાર, કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં નોળીયાની એક પ્રજાતિને પણ ઉપયોગમાં લઈ શકાય છે. એક રિપોર્ટ અનુસાર, નોળીયાની પ્રજાતિ પર કોવિડ-19 ની અસર બીલકુલ માણસે જોવી જ દેખાય છે. એટલા માટે કોરોનાની એન્ટી વાયરસ ડ્રગ તૈયાર કરવામાં આની ખૂબ મદદ લઈ શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના અત્યારસુધીમાં આખી દુનિયામાં 24,00,000 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આમાંથી દોઢ લાખથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારસુધી આશરે 40,000 જેટલા લોકોના મોત આ વાયરસના કારણે થયા છે. આનાથી ઈટલી, સ્પેન, ફ્રાંસ અને બ્રિટનમાં લોકોના સૌથી વધારે જીવ ગયા છે.