એર ઇન્ડિયાએ તેલ અવિવની ફ્લાઇટ્સ આઠ ઓગસ્ટ સુધી રદ કરી

નવી દિલ્હીઃ ઇરાન અને ઇઝરાયેલમાં વધતા ટેન્શનની વચ્ચે એર ઇન્ડિયાએ ઇઝરાયલના તેલ અવિવથી આવતી-જતી ફ્લાઇટ્સ આઠ ઓગસ્ટ સુધી તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધી છે. કંપનીએ કહ્યું હતું કે મધ્ય-પૂર્વના કેટલાક ભાગોની સ્થિતિને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમે સતત નિગરાની કરી રહ્યા છે અને આ સમયગાળા દરમ્યાન તેલ અવિવથી આવતા-જતા કન્ફર્મ બુકિંગવાળા પેસેન્જરોને મદદ કરી રહ્યા છીએ. અમારા મહેમાનો અને ચાલક દળની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

એર ઇન્ડિયા પ્રતિ સપ્તાહ દિલ્હીથી તેલ અવિવ માટે ચાર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. કંપનીએ કહ્યું છે કે કંપનીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલાં ટેન્શનને કારણે પહેલી ઓગસ્ટથી તેલ અવિવ આવ-જા કરતી ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે.

ઇઝરાયલ એલાન કર્યું હતું કે હમાસના મિલિટરી વિંગના ચીફ મોહમ્મદ દેફને ગયા મહિને ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં મારી નાખવામાં આવ્યો હતો. એ પહેલાં ઇરાનના તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી દેવામાં આવી હતી. હમાસે આ હત્યા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું, પણ ઇઝરાયલે એની જવાબદારી નહોતી લીધી.
બીજી બાજુ, ઇરાન સમર્થક ઇરાને આતંકવાદી સંગઠન હિજબુલ્લાએ ઇઝરાયલ પર રોકેટ દ્વારા એક સ્ટ્રાઇક કરી હતી. હિઝબુલ્લાએ લેબેનોનથી ઉત્તરી ઇઝરાયલ પર 60 રોકેટનો માર્યો કર્યો હતો.ઇઝરાયલી સેનાના જણાવ્યા મુજબ આમાંથી માત્ર પાંચ રોકેટ ઇઝરાયલી સરહદમાં ઘૂસી શક્યા છે. અત્યાર સુધી આ હુમલામાં કોઈ પણ ઘાયલ કે કોઈ નુકસાન થવાના અહેવાલ નથી.