સાઇકલસવારના મોતને મામલે ભારતીય મૂળની વ્યક્તિને જેલ

સિંગાપુરઃ સિંગાપુરમાં 2021માં થયેલા અકસ્માતના મોત કેસમાં ભારતીય મૂળની 70 વર્ષીય વ્યક્તિને 12 સપ્તાહની જેલની સજા થઈ હતી. આ વ્યક્તિને લીધે અકસ્માતમાં સાઇકલચાલકનું મોત થયું હતું. આ ઉપરાંત જેલમાં છૂટ્યા પછી આઠ વર્ષ સુધી તેને ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  

ભારતીય મૂળના 65 વર્ષીય ભગવાન તુલસીદાસ બિનવાનીઅ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ નહોતું કરાવ્યું અને તે ત્રણ વર્ષથી લાઇસન્સ વગર કાર ચલાવ્યે રાખતો હતો. કોર્ટે તેના પર 3800 સિંગાપુર ડોલરનો દંડ પણ ફટકાર્યો હતો. તેણે 54 વર્ષીય બાંધકામ મજૂર શ્રમિક ખાન સુરુઝના મોતના એક આરોપનો પહેલાં સ્વીકાર કર્યો હતો. એ પછી તેણે વિના લાઇસન્સ અને વીમા વગરની કાર ચલાવવાના અન્ય બે આરોપનો પણ સ્વીકાર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર 27 ડિસેમ્બર, 2021એ સાંજે પાંચ કલાકે બિનવાની સિંગાપોરના પશ્ચિમી ઓદ્યૌગિક ક્ષેત્રમાં કોર્પોરેશન રોડની દિશામાં એક વેન ચલાવી રહ્યો હતો. તેણે જાલાન અહેમદ ઇબ્રાહિમ રસ્તા તરફ વળ્યો હતો અને તેણે ઝેબ્રા ક્રોસિંગ પર પણ કાર ધીમી નહેતી પાડી, જેથી તેની કાર સાઇકલસવાર સુરુજ સાથે અથડાઈ હતી. આ ટક્કર લાગવાથી સુરુજ પડી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બ્રેન હેમરેજ થતાં તેનું મોત થયું હતું.