નવી દિલ્હીઃ ભારતે સોમવારે ઇસ્લામિક સહયોગ સંસ્થાની (OIC) આકરી ટીકા કરતાં કહ્યું હતું કે તે પાકિસ્તાનના દબાણ હેઠળ આવીને કાશ્મીર અંગે અયોગ્ય અને તથ્યોથી વિપરીત નિવેદનો આપી રહી છે. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન એ દેશ છે જેને આતંકવાદને એક રાજકીય કૌશલના રૂપમાં તબદિલ કર્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન ખોટો પ્રોપેગન્ડા ફેલાવવાના તેમ જ આતંકવાદ અને અલ્પસંખ્યાંકોના ઉત્પીડનને છુપાવવા માટે OICનો ઉપયોગ કરી રહ્યો છે, જેને આ દેશોએ પણ તેને કરવાની છૂટ આપી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન કેવી રીતે ખોટા પ્રચાર અને રાજકીય હેતુઓ માટે OICનો ઉપયોગ કરે છે, એ સ્પષ્ટ છે. મંત્રાલયે જણાવ્યું કે OIC દેશોને ભારતના આંતરિક મુદ્દાઓ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. આ એક એવું તથ્ય છે જે બંધારણમાં સમાવિષ્ટ છે.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે OIC પાસે ભારતના આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી, જેમાં જમ્મુ અને કાશ્મીરનો પણ સમાવેશ થાય છે, જે ભારતનું અભિન્ન અને અંગ છે .
OIC દેશોએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના પક્ષને દોહરાવતાં જણાવ્યું હતું કે અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અને કાશ્મીરી લોકોની ઇચ્છાઓને આધારે તેમને આત્મનિર્ણયનો અધિકાર મળવો જોઈએ એવું સમર્થન કરીએ છીએ.
