રાયપુરઃ છત્તીસગઢના જશપુર જિલ્લાના એક પતિએ પોતાની 10મી પત્નીની પથ્થરથી માથું કચડીને હત્યા કરી નાખી. આરોપી પતિએ પત્ની પર આરોપ મૂક્યો કે તે ચોખા, સાડી અને તેલ ચોરીને લઈ જતી હતી. આ વાતથી ગુસ્સે થઈને તેણે પત્નીની હત્યા કરી હતી અને લાશને જંગલમાં દાટી દીધા પછી ત્યાં જ ઊંઘી ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકનું નામ વસંતી બાઈ છે, જે મહુઆપાની ગામની રહેવાસી હતી. આરોપી ઢુલુ રામે ત્રણ વર્ષ પહેલાં પોતાના નવમા લવ મેરેજ કર્યા હતા. દરેક પત્ની સાથે તેણે કેટલાક મહિના જ વિતાવ્યા હતા – ક્યારેક છ મહિના તો ક્યારેક એક વર્ષ.
20 એપ્રિલે ગામના કોટવાલને રોપા-ક્યારી નાળાની પાસે એક મહિલાનો મૃતદેહ સડેલી હાલતમાં મળી. તેણે તરત પોલીસને જાણ કરી. ત્યાર બાદ બગીચા પોલીસે અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી. પોસ્ટમોર્ટમમાં જણાયું કે મહિલાનું મૃત્યુ માથામાં ઘા લાગવાથી થયું છે. ત્યાર બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી.
પતિ ઢુલુ રામ જ હત્યારો
પોલીની તપાસમાં જાણમાં આવ્યું કે વસંતી બાઈ, ઢુલુ રામ (ઉંમર 45 વર્ષ)ની 10મી પત્ની હતી. આ ઘટનાની રાત્રે તેને છેલ્લે પતિ સાથે જોવામાં આવી હતી. પોલીસે શંકાના આધારે ઢુલુ રામને પૂછપરછ માટે પકડ્યો. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 17 એપ્રિલે તે અને તેની પત્ની ભત્રીજાનાં લગ્નમાં હાજર હતા, જ્યાં વિધિ દરમ્યાન બસંતી ઘેરથી ચોખા, સાડી અને તેલ લઈ જતી હતી. આ વાતથી ગુસ્સે થઈને નશામાં હોવાનું કારણ આપીને તેને તેણે મારી નાખી. ત્યાર બાદ લાશને જંગલમાં ફેંકી દીધી અને લાશની પાસે જ ઊંઘી ગયો. સવારે લાશને દાટીને ત્યાંથી ફરાર થઈ ગયો.
આરોપીએ કબૂલ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં 10 લગ્ન કર્યા છે. વસંતી તેની 10મી પત્ની હતી. તેની પ્રથમ પત્નીનું મૃત્યુ બે વર્ષ પહેલાં થયું હતું. તેનાથી તેને ત્રણ સંતાનો છે – બે છોકરા અને એક છોકરી.
