વેપાર પ્રતિબંધ લાગ્યા પછી પાકિસ્તાન, ભારત પર કેટલી અસર પડશે?

નવી દિલ્હીઃ આતંકવાદી હુમલા પછી ભારત સરકારએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. ભારતે પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખવાનો નિર્ણય લીધો છે. ભારતે બંને દેશો વચ્ચેના મર્યાદિત વેપાર સહિત તમામ આર્થિક સંબંધો ખતમ કરી દીધા છે.

વેપાર બંધ થવાથી પાકિસ્તાન અને ભારત પર કેટલો અસર પડશે?

પાકિસ્તાનથી ભારતની આયાતી ચીજવસ્તુઓ

તરબૂચ, સિમેન્ટ, સેંધા મીઠું, સૂકા મેવા, પથ્થર, ચૂનો, કપાસ, સ્ટીલ, ચશ્માં માટે ઓપ્ટિકલ વસ્તુઓ, કાર્બનિક રસાયણો, ધાતુ સંયોજનો, ચામડાના માલસામાન, તાબું, સલ્ફર, કપડાં, ચપ્પલ, મુલતાની માટી.

પાકિસ્તાનને નિકાસ થતી ચીજવસ્તુઓ

નાળિયેર, ફળો, શાકભાજી, ચા, મસાલા, ખાંડ, તેલબિયાં, પશુ ચારો, ડેરી ઉત્પાદનો, પ્લાસ્ટિક ઉત્પાદનો, ઔષધો, મીઠું, મોટર પાર્ટ્સ, રંગો, કોફી.

પાકિસ્તાન પર અસર
ભારત સાથેના વેપારના સંબંધો તૂટવાથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ભારે દબાણ આવશે. પાકિસ્તાનને ભારતમાંથી સસ્તી અને આવશ્યક ચીજવસ્તુઓ મળતી હતી, જેમ કે દવાઓ, કાચો માલ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ. હવે આ ચીજવસ્તુઓ પાકિસ્તાનને અન્ય દેશોથી ઊંચા ભાવમાં આયાત કરવી પડશે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે ભારત સાથેનો વેપાર બંધ થવાથી આ સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

ભારત પર અસર
ભારત માટે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો તોડી નાખવાથી કોઈ વિશેષ આર્થિક અસર નહીં પડે, કારણ કે બંને દેશો વચ્ચેનો વેપાર ઘણો ઓછો હતો અને ભારત પાકિસ્તાનથી આયાત પર બહુ વધુ નિર્ભર નથી. જ્યારે પાકિસ્તાન ભારતથી આયાત પર વધુ નિર્ભર છે. 2024-25 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ વેપાર 500 મિલિયન ડોલરથી પણ ઓછો હતો, જે ભારતીય અર્થતંત્ર માટે નગણ્ય ગણાય છે. જોકે કેટલીક વસ્તુઓની કિંમતોમાં વધારો થઈ શકે છે, જેમ કે સિંધવ મીઠું, સૂકા મેવા અને ઓપ્ટિકલ લેન્સ, પણ ભારતમાં આ વસ્તુઓના વૈકલ્પિક સ્ત્રોત ઉપલબ્ધ છે.