અમદાવાદ: ૮ માર્ચ ર૦ર૦ આતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમદાવાદમાં એક અનોખી ઉજવણી થવાની છે. પ્રજ્ઞાચક્ષુ બહેનો ગૃહિણી તરીકે કેવી રીતે ફરજ બજાવતી હશે, કેવી રીતે રસોઈ કરતી હશે, તે પ્રશ્નોના સરળ ઉત્તરો માટે લાયન્સ કલબ ઓફ કચ્છ-ભૂજ સાઈટ ફર્સ્ટ, સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાહ ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
આ વિચારથી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ર્ડા. નીતીનભાઈ શાહ અને સદ્વિચાર પરિવારના સહયોગથી એક અનોખા ફૂડ ફેસ્ટીવલ ‘સંવેદનો સ્વાદ’ આયોજક સદ્વિચાર પરિવાર, સમર્પણ કેમ્પસ, મેરીએટ હોલ પાસે, જોધપુર ટેકરા રોડ, રામદેવનગર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
૮ માર્ચ રવિવારે આ ‘સ્વાદોત્સવ’ સાંજે ૪.૦૦ થી રાત્રે ૯.૦૦ સુધી ખુલ્લો રહેશે, જરૂરથી પધારજો.
