અનલોક-4ની ગાઇડલાઇન્સઃ દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ

ગાંધીનગર: રાજ્ય સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ ગાઇડલાઇન મુજબ રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેંદ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર નિયમિત પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે.

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઇડલાઇન નીચે મુજબ છે…

  • સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે.
  • શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
  • 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક સમારોહ યોજી શકાશે. જોકે આ સમારંભોમાં લોકોની હાજરી 100 સુધી સીમિત રાખવામાં આવી છે.
  • રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરાં 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
  • ગાર્ડન પણ ખૂલશે. ધાર્મિક સ્થળો સંપૂર્ણ ખુલ્લાં રાખી શકાશે.
  • દુકાનોને હવેથી 24 કલાક સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.
  • ઓટો રિક્ષામાં એક ડ્રાઇવર બે મુસાફરો બેસી શકશે.
  • ટેક્સી અને ખાનગી વાહનોમાં એક ડ્રાઇવર અને બે મુસાફરો બેસી શકશે.
  • ખાનગી વાહનની બેઠક ક્ષમતા 6થી વધુ હોય તો ચાર લોકોને મંજૂરી આપવામાં આવી છે.
  • એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે.
  • ગાઇડલાઇન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
  •  60 ટકા કેપેસિટી સાથે લાઇબ્રેરીઓ પણ ખૂલશે.
  • જોકે થિયેટર બંધ રાખવામાં આવ્યા છે પણ ઓપન એર થિયેટર 21મીથી ખોલી શકાશે.
  • જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
  • કન્ટેઇનમેન્ટ ઝોન બહાર આ ગતિવિધિઓને મંજૂરી
  • રાજ્યો,રાજ્ય શાસિત પ્રદેશોમાં 50 ટકા સુધી શિક્ષણ અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન ટીચિંગ અને સંબંધિત કાર્ય માટે શાળાએ બોલાવી શકાય છે.
  • ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના માર્ગદર્શન માટે સ્વૈચ્છિક આધાર પર સ્કૂલમાં જવાની મંજૂરી આપી શકાય છે.

 

 જોકે રાજ્યમાં ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ, સેનિટાઇઝર અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવું પડશે.