અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે.ડી હોસ્પિટલમાં એક નાની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર એક નાની સર્જરી કરવાની હોવાથી તેઓ હોસ્પિટલમાં એડમીટ થયા હતા. કે.ડી હોસ્પિટલમાં અમિત શાહની સર્જરી કરી દેવામાં આવી છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]