શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદમાં 10મો દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS), અમદાવાદે તેના 2019-21ની બેચના PGDM/PGDM-C વિદ્યાર્થીઓ માટે ઓફ્ફ-લાઈન પરંપરાગત 10મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો હતો. આ સમારોહમાં કુલ 181 વિદ્યાર્થીઓએ તેમનાં પીજી ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં હતાં. કોરોના લોકડાઉનના લાંબા સમય બાદ આ ઓફ્ફ-લાઈન પરંપરાગત દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

સમારોહમાં અજય ભટ્ટ, પ્રેસિડેન્ટ- ગ્લોબલ હ્યુમન રિસોર્સિસ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, મુખ્ય મહેમાન પદે હતા. જ્યારે દિક્ષાંત સમારોહનું અધ્યક્ષપદ ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ બ્રિજમોહન ચિરીપાલે સંભાળ્યું હતું. વિશાલ ચિરીપાલ પણ સમારોહમાં હાજર રહ્યા હતા. શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ વિદ્યાર્થીઓ અને ગવર્નિંગ બોર્ડના સભ્યોનું સ્વાગત કર્યું હતું. તેમણે મેરિટોરીયસ એવોર્ડ અને પ્રમાણપત્રો મેળવનાર વિદ્યાર્થીઓનાં નામોની પણ જાહેરાત કરી હતી. કુમારી પાયલ સતાનીને ‘ઓવરઓલ ટોપર ઓફ ધ ક્લાસ 2019-21’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મુખ્ય અતિથિ અજય ભટ્ટે એવોર્ડ અને મેડલ મેળવનાર તમામ ઉમેદવારોને અને તેમનાં માતા-પિતાને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે અર્થતંત્ર ઊંચા દર સાથે સફળતાપૂર્વક વિકાસ કરી રહ્યું છે, ત્યારે મને લાગે છે કે દેશમાં વધુ ને વધુ વિશ્વ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ હોવી જરૂરી અને મહત્વપૂર્ણ છે. તેમણે વિધ્યાર્થીઓને જીવનમાં ત્રણ મહત્વના ગુણ કેળવવા પર ભાર મૂક્યો હતોઃ ‘બી ફોકસ, બિલિવ ઈન યોરસેલ્ફ, બી હંબલ.’

દીક્ષાંત સમારોહ કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ યોજાયો હતો.