ગાંધીનગરઃ રાજ્ય શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ હાલમાં લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા વિધાનસભામાં શિક્ષણ વિભાગ દ્વારા વાસ્તવિકતા સામે રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગે માહિતી આપી હતી કે રાજ્યમાં 700 સરકારી સ્કૂલો એવી છે, જેમાં શિક્ષણ આપવા માટે માત્ર એક જ શિક્ષક છે. આવામાં સવાલ એ છે કે એક શિક્ષક બધી સ્કૂલોમાં કઈ રીતે શિક્ષણ આપી શકે?
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોના અભાવે શિક્ષણની સ્થિતિ કથળેલી છે. શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ઘણી પ્રતિકૂળ અસર પડે છે. જોકે તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા ઉદાસીન વલણ જવાબદાર છે. ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રોમાં જ નહીં, પણ શહેરી ક્ષેત્રોમાં પણ સ્થિતિ ખરાબ છે. સુરતની 43, અમદાવાદની ચા, વડોદરાની 38 અને રાજકોટની 16 સ્કૂલોમાં એક-એક શિક્ષક છે. ખેડા અને ભાવનગર એકમાત્ર એવા જિલ્લા છે, જ્યાં એક પણ શિક્ષકવાળી સ્કૂલો નથી.
કોંગ્રેસે જણાવ્યું હતું કે સરકારી સ્કૂલોમાં ધોરણ 1થી આઠ સુધી હોય છે અને એક ધોરણમાં કેટલાય વર્ગ હોય છે. વિધાનસભ્યોએ સવાલ કર્યો હતો કે એક શિક્ષક આટલા બધા વર્ગો અને વિદ્યાર્થીઓનો વહીવટ કરી શકે છે? પ્રધાને કહ્યું હતું કે નિવૃત્તિ, મૃત્યુ કે શિક્ષકોના સ્થાનાંતરણને કારણે આ સ્થિતિ પેદા થઈ છે. સરકાર ડૂંક સમયમાં આવશ્યક સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
