અમદાવાદઃ રાજ્યમાં દિવાળી પછી સ્કૂલો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. આ માટે વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે તે પોતાના બાળકને સ્કૂલો મોકલવા માગે છે કે ઓનલાઇન જ ભણાવવા માગે છે.
જોકે સ્કૂલો ખોલ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માત્ર 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો ચાલશે. એટલે કે વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવવામાં આવશે. હાલમાં જ રાજ્ય શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા બાબતે એક બેઠક મળી હતી. જેમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.
ધોરણ 6થી 12 ધોરણના અભ્યાસ શરૂ થવાની શક્યતા
શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 6થી લઈને 12 સુધીની સ્કૂલો શરૂ કરશે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. જોકે ધોરણ.૧થી ૫ના વર્ગો જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ન જાય ત્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે.
સ્કૂલો શરૂ કરવાની સાથે-સાથે આ દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે
|
