સંજય છેલના ચિત્રોનું આજથી અમદાવાદમાં પ્રદર્શન – ‘મૂર્ત અમૂર્ત’

અમદાવાદ – બોલીવૂડના જાણીતા સંવાદલેખક, પટકથાલેખક, નિર્દેશક, કલાકાર સંજય છેલ નિર્મિત ચિત્રોનું પ્રદર્શન આજથી અહીં ‘અમદાવાદની ગુફા’ આર્ટ ગેલેરીમાં શરૂ થઈ રહ્યું છે.

‘મૂર્ત-અમૂર્ત’ શીર્ષક હેઠળ સંજય છેલના ચિત્રોનું આ પ્રદર્શન 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. સમય રહેશે દરરોજ સાંજે 4 થી 8.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પીઢ ચિત્રકાર વૃંદાવન સોલંકી આ પ્રદર્શનનું આજે સાંજે 5.30 વાગ્યે ઉદઘાટન કરશે.

સંજય છેલનાં એબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત) ચિત્રો અને શિલ્પકાર ચિંતન સોમપુરાનાં શિલ્પ એટલે ‘મૂર્ત’ કળા સાથે મળીને ચિત્ર અને શિલ્પની જુગલબંદી કરશે.