અમદાવાદ મેટ્રોમાં મુસાફરોને નવા કાર્ડને લઈ ભોગવવી પડી હાલાકી

અમદાવાદામાં મેટ્રો ટ્રેનની સુવિધાનો વ્યાપ ધીરે ધીરે આગળ વધી ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. પરંતુ હવે એજ મેટ્રોનાં કારણે લોકો હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વાત એમ છે કે મેટ્રો ટ્રેનના ફેઝ 2ના શરૂ થયા બાદ મેટ્રોના જુના કાર્ડ કોઈને જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવ્યા છે. અને નવા નેશનલ કાર્ડ લોન્ચ કરી દીધા છે.

મેટ્રોની વ્યાપ સાથે વપરાસ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. લાખો લોકો દિવસ દરમિયાન મેટ્રો સુવિધાનો લાભ લેતા હશે. ત્યારે હયાત કાર્ય ઓચંતા બંધ કર્યા બાદ નેશનલ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલના કાર્ડમાં બેલેન્સ પૂર્ણ થયા બાદ તેમાં રીચાર્જ થઈ શકતુ નથી. ફરજિયાત નવા કાર્ડ ખરીદો અથવા ટિકિટ વિન્ડો પર જાઓ અને ટિકિટ લઈને બેસો. લોકો આ નવા કાર્ડ ખરીદવા તૈયાર પણ છે પરંતુ નવા કાર્ડની બજારમાં અછત છે. જેના કારણે લોકોને નવા કાર્ડ મળતા નથી. નવા કાર્ડ નહિ મળતાં હોવાના કારણે લોકો ફરજિયાત ટિકિટ માટે રાહ જોવી પડી રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે વસ્ત્રાલથી થલતેજ મેટ્રોમાં પહોંચો તો આશરે 30 મિનિટ જેવો સમય લાગે છે. અને આ મુસાફરી માટે ટિકિટ લેવા માટે 20 મિનિટ ટિકિટ લેવામાં બગડે છે. ઘણી વખત તો લોકોને ટિકિટ લેવા 45 મિનિટ જેવો સમય લાગી જાય છે. દરરોજ નોકરિયાત અને વિદ્યાર્થીઓ મેટ્રોમાં મુસાફરી કરે છે. હવે આ લોકોને સમયસર ઓફિસ કે કોલેજ પહોંચવાનું હોય પણ મેટ્રો અવ્યવસ્થાનાં કારણે તકલીફ નો સામનો લોકો કરી રહ્યા છે.