વિશ્વ મધમાખી દિવસ, ૨૦મી મેના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ), ‘પ્રોજેક્ટ એડોપ્ટ અ ક્વીન’ (પીએક્યુ)ના સહયોગથી, એએમએ કેમ્પસમાં એક વિશેષ મધપૂડાનું જીવંત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એએમએ દ્રારા અમદાવાદની પ્રથમ પરાગનયન-મૈત્રીપૂર્ણ સંસ્થા તરીકે આ પહેલ કરવામાં આવી છે. આ કાર્ય નીરુભાઈ દેસાઈ, એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ અને પીએક્યુના મિશન સાથે સંક્ળાયેલી છે. જે કૃષિ સુધારણા, જૈવવિવિધતા પુનઃસ્થાપના અને દરેક માટે સ્વચ્છ ખોરાક સુલભ બનાવવાના કેન્દ્રમાં મધમાખીઓને સ્થાન આપે છે.
એએમએના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલાએ જીવંત મધપૂડા સ્થાપિત કરવાના મહત્વ પર સંબોધન કરતા કહ્યું કે, સહ-અસ્તિત્વના મધમાખી સંરક્ષક અને સંશોધક મીત જોશીએ ૮ જૂન, ૨૦૨૨ ના રોજ નીરુભાઈ દેસાઈ, એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ લોન્ચ કર્યું હતું. એએમએ ઉદ્યોગસાહસિકોના વિઝનને ટેકો આપવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે. આ મિશનના ભાગ રૂપે, આ ભાગીદારી ત્રણ વર્ષ પછી પણ ચાલુ છે, અને આ કાર્યક્રમ તેમના વિઝન અને સામાજિક પરિવર્તન દ્રારા જૈવવિવિધતા, ટકાઉપણું અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રયાસ છે.
મીત જોશી, પૂરવ શેલત અને ચંદ્રમૌલી પાઠકે ભારતના ઇકોલોજીકલ ભવિષ્યને આકાર આપવામાં ડંખરહિત મધમાખીઓ, ટેકનોલોજી અને સામુદાયિક કાર્યવાહી કેવી રીતે મદદરૂપ થાય છે, તેના પર પ્રકાશ પાડ્યો હતો.
