ભાવનગર જિલ્લાના પાલીતાણાના નાનીમાળ ગામે આવેલા પવિત્ર કૈલાસધામ મંદિર ખાતે ભવ્ય જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર મનપાના 35 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
પાલીતાણાના નાનીમાળ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ૧૨ જ્યોતિર્લિંગ સહિત ૧૭ મંદિરોના જીર્ણોદ્ધારના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેવાધિદેવ મહાદેવના દર્શનનો દિવ્ય લાભ પ્રાપ્ત કર્યો અને ગ્રામજનોને શુભકામનાઓ પાઠવી.
હર હર મહાદેવ 🚩 pic.twitter.com/FRqgSZp39V
— Harsh Sanghavi (@sanghaviharsh) February 14, 2026
આ મહોત્સવમાં DyCM હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કૈલાસધામમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આવા ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા અને શ્રદ્ધાને મજબૂત બનાવે છે. તેમણે નાનીમાળ ગામ અને કૈલાસધામના વિકાસની પ્રશંસા કરી હતી.
🚍✨ ભાવનગર માટે ગૌરવની ક્ષણ! ✨🚍
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા “PM e-Bus Sewa” અંતર્ગત ૫૦ ઇલેક્ટ્રિક બસોના લોકાર્પણ સાથે શહેરમાં સ્વચ્છ, આધુનિક અને ઇકો-ફ્રેન્ડલી જાહેર પરિવહનની નવી દિશા શરૂ થઈ. જેના થકી
ભાવનગર ગ્રીન અને સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે.તથા(1/3) pic.twitter.com/aoO8ToFt99
— Bhavnagar Municipal Corporation (@BhavnagarMuni) February 14, 2026
આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હર્ષભાઈ સંઘવીના હસ્તે 50 નવી ઇ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભાવનગર છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવાથી વંચિત હતું. આ નવી બસો શરૂ થવાથી શહેરીજનોની પરિવહન સમસ્યા હળવી થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.




