SC-ST એક્ટ મામલે કોંગ્રેસનું રાજ્યપાલને આવેદનપત્ર

ગાંધીનગરઃ ગઈકાલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એસસી અને એસટી સમાજ દ્વારા આપવામાં આવેલા આ બંધને કોંગ્રેસે ખુલ્લો સપોર્ટ કર્યો હતો. તો ભારત બંધના બીજા દિવસે કોંગ્રેસ દ્વારા એસસી એસટી એક્ટમાં કરાયેલા સુધારાનો વિરોધ કરીને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલની મુલાકાતે ગયું હતું. ધારાસભ્યોના ડેલિગેશને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી એસસી-એસટી એક્ટમાં સુપ્રીમના નિર્દેશને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.