ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈનઃ નહી થઈ શકે છેતરપિંડી

અમદાવાદઃ આખા વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે. સંપૂર્ણ ભારત દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા વચ્ચે ગુજરાતમાં ગ્રાહકો સાથે છેતરપીંડિ ન થાય અને ગ્રાહકને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે.

ગ્રાહકને લગતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે રાજ્ય ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 – 233 – 0222 કાર્યરત છે જેનો ગ્રાહકોને ઉપયોગ કરવા રાજયના ગ્રાહક સુરક્ષા નિયામક દ્વારા જણાવાયું છે.