IAS ગૌરવ દહિયા મામલે ઈન્કવાયરી કમિટી બેઠી, CMએ માગ્યો રીપોર્ટ

ગાંધીનગરઃ ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની એક મહિલા સાથે બીજા લગ્ન કરવાનો અને ફ્રોડ કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસ હવે તપાસ કરશે. સાથે જ સીએમે તપાસ કમિટીની રચના કરી છે અને 15 દિવસથી લઇ 1 માસમાં અગ્રસચિવ સુનયના તોમર મામલાની તપાસ કરી રીપોર્ટ સોંપશે. તપાસ કમિટીમાં અન્ય બે મહિલા અધિકારીઓ સોનલ મિશ્રા અને મમતા વર્મા સહિત પાંચ સભ્યોનો સમાવેશ થાય છે અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસે મહિલાની ફરિયાદને ગાંધીનગરમાં પોતાના સમકક્ષો સમક્ષ તપાસ માટે મોકલી છે.

ફાઈલ ચિત્ર

દહિયાએ પોતાના બચાવમાં કહ્યું કે તેઓ મોહપાશમાં ફસાઈ ગયાં હતાં અને તેમને બ્લેકમેલ કરવામાં આવ્યાં છે. ગાંધીનગર પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ કહ્યું કે બંન્ને ફરિયાદીઓના મામલાઓની તપાસ કરવામાં આવશે.

દહિયા 2010 બેચના આઈએએસ અધિકારી છે. મહિલાએ દાવો કર્યો છે કે દહિયાએ વિવાહિત હોવા છતાં પણ તેને અંધારામાં રાખીને ફેબ્રુઆરી 2018માં તેની સાથે લગ્ન કરી લીધાં. લગ્ન કર્યા બાદ મહિલાને IAS અધિકારી પહેલાથી જ પરણિત હોવાની જાણકારી મળી. આ કેસમાં દહિયાની પહેલી પત્નીએ પણ ગૌરવ વિરુદ્ધ કોઇ મામલે ફરિયાદ નોંધાવેલી હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના હવાલે ખબર બહાર આવી રહ્યાં છે કે મુખ્યપ્રધાન રુપાણીએ આ મામલાનો રીપોર્ટ માગ્યો છે અને તથ્ય જણાયે ગૌરવ દહીયાને સસ્પેન્ડ કરવા અંગે વિચારણા પણ કરવામાં આવી શકે છે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં  મમતા વર્મા- IAS,  સોનલ મિશ્રા – IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરુદ્ધ લગ્ન બાબતમાં છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તલસ્પર્શી તપાસ થશે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા તે દરમિયાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા. રર જુલાઇએ તેમની બદલી કરીને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલાં છે