અમદાવાદમાં યોજાયા વિશિષ્ટ સંસ્કૃત ગરબા

એકલ્વ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્ર્સ્ટ અને અમદાવાદ સંસ્કૃત એકેડેમી દ્ધારા સંસ્કૃત ભાષાનો પ્રચાર અલગ અલગ પ્રકારે થઈ રહ્યો છે. સંસ્કૃત બધી ભાષાઓની જનની છે. અને ગુજરાતી લોક ગરબાને સતત 4 કલાક સુધી ગવાય અને ગરબાના શબ્દો પર સંસ્કૃત પ્રેમીઓ ગરબા રમે આ ઘટના માત્ર ભારતમાં એક જ સ્થાને અમદાવાદમાં જ થઈ રહી છે.

આવા પ્રચારાત્મક કાર્યક્રમો દ્ધારા સંસ્કૃત ભાષાને દરેક ઘર સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડાયરેક્ટર ડો. મિહિર ઉપાધ્યાય અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા થઈ રહ્યો છે. 2009થી શરૂ થયેલી આ સંસ્કૃત ગરબાની યાત્રાને સતત 4 કલાક સુધી ગવાયએ માટેનું બીડું ડો. મિહિર ઉપાધ્યાયે સહજતાથી ઝડપી લીધું. અને આ સંસ્કૃત ગરબા એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટના અવિરત પ્રયત્નોથી પાર્ટી પ્લોટ સુધી પહોંચ્યા.

સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવના રાવલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, દર વર્ષે વધુને વધુ સંસ્કૃત પ્રેમીઓ આ ગરબામાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે સાતમી નવરાત્રિના શુભદિને નવરંગસ્કૂલ નવરંગપુરાના પ્રાંગણમાં યોજાયેલા આ ગરબામાં બે તાલી, ત્રણ તાલી, ભાંગડા, સનેડો અને સુંદર કર્ણપ્રિય સ્ત્રોત રજૂ કરવામાં આવ્યા. મહિષાસુર મર્દિની સ્ત્રોત, શિવમહિમા સ્ત્રોત, મઘુરાષ્ટકમ્, રેવાગીતમ્ વગેરે આ ગરબાના આકર્ષણો રહ્યા.

એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડાયરેકટર ડો. મિહિર ઉપાધ્યાયે ચિત્રલેખા.કોમને કહ્યુ કે, સંસ્કૃતીનું રક્ષણ કરતા સંસ્કૃતભાષાના આ અનેરા ગરબા કદાચ આવનારા ભવિષ્યમમાં નવ દિવસ યોજાય તો નવાઈ નહીં લાગે.