યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રીમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

નવરાત્રિને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ગુજરાતના તમામ માતાના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. લાખોની સંખ્યામાં મહાકાળી માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા છે. ગઇકાલે અમાસ અને મંગળવારનો સંયોગ હોઈ ભક્તો ઉમટ્યા હતા. આજના દિવસે મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ છે. આજે અનોખો સંયોગ હોય મંદિરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. આજના દિવસે માં મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રિના આગલા દિવસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લાખો ભક્તો જ્યોત લેવા આવતા હોય છે. તેથી પાવાગઢના તારાપુર દરવાજા પાસે સૌથી વધારે ભક્તોની ભીડ જોવા મળી છે.

ભક્તોના ઘોડાપૂરને લઇ તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પંચમહાલના પાવાગઢ ખાતે પ્રસિદ્ધ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિના દિવસોમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આગામી 3 ઓક્ટોબરથી શરુ થતી નવરાત્રિ પહેલા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્શાનાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ બસોની સંખ્યા વધારી છે. પાવગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રિ પહેલા દર્શન કરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.