અમદાવાદ: ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે પવનની દિશા બદલાતા 45-55 કિમી પ્રકિ કલાકની ઝડપે પવન ફૂંકતા માછીમારો એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. પ્રેસરગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ તો બીજી તરફ ઉત્તર પૂર્વથી પૂર્વ પવન રહેતા ઠંડીમાં ઘટાડો થશે સાથે સાથે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજયમાં વાતાવારણને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે,ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે સાથે સાથે હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે,અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.
સરકારી આંકડા પ્રમાણે નલિયામાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર બન્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી, કંડલામાં 11.3 ડિગ્રી, ડીસામાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી, કેશોદમાં 13.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 13.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 16.5, દ્વારકામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)