વિવાદોના વંટોળ વચ્ચે એસ્ટ્રાઝેનેકાનો મોટો નિર્ણય, કોવિડશીલ્ડ પરત ખેંચાશે!

કોરોના કાળમાં જે રક્ષક બન્યો હતો, એજ લાંબા સમય બાદ ભક્ષક તરીકે સામે આવ્યા છે. જાણીતી ફાર્મા કંપની એસ્ટાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી કોવિડશીલ્ડ રસીની માણસ માટે નુકસાન કારક હોવાના સમાચાર માટે ચકચાર મચી ગયો છે.

હાલ એસ્ટ્રેઝેનેકા કંપનનીની કોવિડશીલ્ડ વેક્સિન દુર્લભ જોવા મળી રહી છે. આ રસીની દેશ સહિત વિદેશમાં પણ નિકાસ થતી હતી. જ્યારે રસી આડઅસરના સમાચાર બાદ રસીની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે અમે વૈશ્વિક સ્તરે વેક્સિન પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. અગાઉ કંપનીએ પણ વેક્સિનની આડઅસર થતી હોવાની કબૂલાત કરી હતી. જો કે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે આ વેક્સિન અન્ય કારણોસર બજારમાંથી હટાવવામાં આવી રહી છે.

શું છે મામલો?

થોડા સમય પહેલા કેટલાક પરિવારોએ કોવિડશીલ્ડના લેવાના આડ અસરને લઈ કેસ કર્યા હતા જે બાદ AstraZenecaએ મોટો ખુલાસો કર્યો હતો. કંપનીએ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીની આડઅસર થઈ શકે છે, પરંતુ આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ કોર્ટના દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન લોહીના ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર કરી શકે છે. જોકે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે વ્યવસાયિક કારણોસર કોવિશીલ્ડ વેક્સિનને બજારોમાંથી દૂર કરવામાં આવી રહી છે.