આવતી કાલે એએમસીનું ડ્રાફ્ટ બજેટઃ શેના પર અપાશે ધ્યાન?

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ બજેટ કોઈપણ કરવેરાના વધારા વગરનું રહી શકે છે. વિકાસલક્ષી પ્રોજેક્ટ પર પણ ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે લોકો ઝઝુમી રહ્યા છે. એકતરફ બીઆરટીએસના કારણે પહોળા રોડ સાંકળા થઈ ગયા છે, ઠેર-ઠેર ટ્રાફીક જામ થતા લોટો અટવાય છે, રોડ પર રખડતા ઢોરનો ત્રાસ છે, ખાડા વાળા રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, ચોમાસામાં પાણી ભરાઈ જવા સહિતની અનેક પ્રકારની સમસ્યાઓ શહેરમાં રોજિંદી બની ગઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે એએમસી દ્વારા શહેરીજનોની મૂળભૂત સમસ્યાઓ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.