એક વર્ષમાં 25 લાખ પર્યટકોએ લીધી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત, આટલી થઈ આવક…

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના કેવડિયામાં સ્થાપિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોવા માટે એક વર્ષમાં આશરે 25 લાખ લોકો આવ્યા છે. આનાથી 63.39 કરોડ રુપિયાની આવક થઈ છે. ભારતના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનાવવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન બન્યા બાદ તેમણે ગત વર્ષે 31 ઓક્ટોબર 2018 ના રોજ આનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી લઈને અત્યારસુધીમાં આને જોવા માટે દેશ-વિદેશના પર્યટકો આવી રહ્યા છે. અહીંયા પર્યટકોને આકર્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 20 થી વધારે પરિયોજનાઓ શરુ કરવામાં આવી છે. આમાં જંગલ સફારી, જાયન્ટ ડાઈનાસોર, ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક તેમજ વિશ્વ વન સહિતનો સમાવેશ થાય છે.

31 ઓક્ટોબર 2018 થી 31 ઓક્ટોબર 2019 ના એક વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે દેશ વિદેશના 24,44,767 પર્યટકો આવ્યા છે. આનાથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટને 63,39,14128 રુપિયાની આવક થઈ છે. સરકાર હવે પ્રતિદિન 50 હજાર પર્ટટકોને આવવાની વ્યવસ્થા કરી રહી છે.

 

   મહિનો              પર્યટકની સંખ્યા            આવક

નવેમ્બર  18          2,78,562            6,47,63,443

ડિસેમ્બર   18         2,50,113            5,70,41,060

જાન્યુઆરી 19         2,83,298            7,00,42,020

ફેબ્રુઆરી  19          2,10,600            5,60,87,710

માર્ચ      19           2,20,824            5,95,96,190

એપ્રિલ    19           1,29,897            3,73,23,430

મે          19           2,18,787            6,03,14,535

જૂન        19           2,13,472            5,62,02,590

જુલાઈ     19           1,47,061            4,38,51,020

ઓગસ્ટ    19           2,56,852            6,58,20,520

સપ્ટેમ્બર  19          2,75,843              7,08,52,370

ઓક્ટોબર 19          2,35,260               6,32,66,610

   કુલ                   24,48,767             63,39,14,128