બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચનાં મોત

પાટણઃ સમી-રાધનપુર હાઇવે પાસે ST બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે, જેમાં છ લોકોનાં મોત થયાં છે. હારીજ તરફથી આવતી બસે રિક્ષાને કચડી નાખી છે. આ અકસ્માત સર્જાતાં આસપાસના વિસ્તારમાંથી તાત્કાલિક સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ધોરણે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. તેમને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

હિંમતનગરથી માતાના મઢે જતી રિક્ષાને બસે ટક્કર મારતાં રિક્ષામાં સવાર તમામ પાંચ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.