‘ખિલાડી’ની સાત ફિલ્મો ફ્લોપથી ફિલ્મમેકર્સને રૂ. 800 કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ બોલિવુડના ‘ખેલાડી’ના આજકાલ માઠા દિવસો ચાલી રહ્યા છે. અક્ષયકુમાર પાછલા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મમાં છે. જેને લીધે તેના ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નજર અક્ષયની આવનારી ફિલ્મ ‘સરફિરા’ પર લાગેલી છે.

વર્ષ 2020ના કોરોના કાળ પછી અક્ષયકુમારની ફિલ્મો ઓડિયન્સ માટે તરસી ગઈ છે. ગયા વર્ષે આવેલી ‘OMG 2’ને છોડી દઈએ તો ત્રણ વર્ષમાં અક્ષયકુમારની સાત ફિલ્મો ફ્લોપ થઈ ચૂકી છે, જેમાં ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘રક્ષા બંધન’, ‘સેલ્ફી’, ‘મિશન’, ‘રાનીગંજ’, ‘રામ સેતુ’ અને ‘બડે મિયાં છોટે મિયાં’. અક્ષયની આ ફ્લોપ ફિલ્મોથી એના ફિલ્મમેકર્સને આશરે રૂ. 800 કરોડનું નુકસાન થયું છે, એમ એક અહેવાલ કહે છે. હાલમાં આવેલા સમાચાર મુજબ વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસમાં ક્રાઇસિસમાં છે. જનતાએ એને અક્ષયની મોટા બજેટવાળી ફ્લોપ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’થી જોડવાનું શરૂ કર્યું છે.

વર્ષ 2020માં કોરોના વાઇરસ અને લોકડાઉનની ઠીક પહેલાં 2019માં અક્ષયની ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘હાઉસફુલ 4’ અને ’ગુડ ન્યૂઝ.’એમાંથી ત્રણ ફિલ્મો રૂ. 200 કરોડના આંકડા સુધી પહોંચી હતી, જ્યારે એક ફિલ્મે રૂ. 150 કરોડથી વધુનું નેટ કલેક્શનન્સ કર્યું હતું.

જોકે અક્ષયના ખાતામાં હજી પણ કેટલાય મોટા પ્રોજેક્ટસ છે, જેમાં ‘હેરાફેરી 3’, ‘જોલી એલએલબી 3’ અને ‘વેલકમ 3’, પણ આ બધી ફિલ્મોનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ‘સરફિરા’ની સફળતા પર નિર્ભર કરશએ. ‘બડે મિયાં છોટે મિયા’ આ વર્ષે રિલીઝ થઈ હતી અને રૂ. 300 કરોડમાં બનેલી આ ફિલ્મ રૂ. 100 કરોડ પણ નથી કમાઈ શકી. આવામાં ‘સરફિરા’ પર અક્ષયની કેરિયરનો મોટો દાવ લાગેલો છે.