રોનિત, નીલમ બોસ રોયે 20મી વર્ષગાંઠે ફરી લગ્ન કર્યાં

મુંબઈઃ  અભિનેતા યુગલ રોનિય રોય અને નીલમ બોસ રોયે લગ્નની 20મી વર્ષગાંઠે ફરીથી સાત ફેરા લીધા હતા. તેમણે પોતાના ઘરના મંદિરમાં લગ્ન કર્યાં હતાં. 58 વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નનો વીડિયો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે.

વાસ્તવમાં રોનિત રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં કપલ 20 વર્ષ પછી ફરીથી સાતેય લગ્નના વચનોનું પુનરાવર્તન કરતા જોવા મળે છે. બંનેએ ગોવાના શિવ મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન, અભિનેતાની પત્ની નીલમ નવી પરણેલી દુલ્હનની જેમ લાલ સાડી પહેરેલી હતી અને ઘરેણાંથી શણગારેલી હતી, જ્યારે અભિનેતા સફેદ અને લાલ કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો.

રોનિત અને નીલમનો 16 વર્ષનો પુત્ર અગસ્ત્ય બોઝ પણ તેનાં માતા-પિતાના લગ્નની મજા માણતો જોવા મળ્યો હતો. એ વિડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા રોનિત અને નીલમે હવન કર્યો હતો. માળા આપી. લગ્નની સાત પ્રતિજ્ઞાઓ વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી હતી. રોનિતે નીલમની માગમાં સિંદૂર ભરી દીધું. આ દરમિયાન અભિનેતાના નજીકના સંબંધીઓ અને મિત્રો જોવા મળ્યા હતા.

રોનિત રોયે વર્ષ 2003માં અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. અભિનેતાએ નીલમને સાડાત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા. અગાઉ, અભિનેતાએ જોહાના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેને એક પુત્રી પણ છે. નીલમ સાથે તેને બે બાળકો છે.

રોનિત રોયે એકતા કપૂરની કસૌટી જિંદગી કેમાં મિસ્ટર બજાજનું પાત્ર ભજવીને ઘરે-ઘરે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલ વર્ષો પહેલા સ્ટાર પ્લ્સ પર પ્રસારિત થતી હતી. રોનિત રોય એક્ટિંગ સિવાય પોતાનો બિઝનેસ પણ ધરાવે છે. તેની એક સિક્યોરિટી એજન્સી છે.