સમય રૈનાનો શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ વિવિદોમાં ઘેરાયો છે. આ વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો. શોમાં રણવીર અલ્લાહબાદિયા દ્વારા કરવામાં આવેલી અશ્લીલ કોમેન્ટો લઈ સમય રૈના પણ વિવાદોમાં ઘેરાયા હતા. વિવાદ પછી, સમયે કેનેડામાં પોતાનો પહેલો શો કર્યો. આ શો દરમિયાન, સમયે પહેલીવાર શોના વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રેક્ષકો સાથે વાતચીત કરતી વખતે, કોમેડિયને કહ્યું- એવું લાગે છે કે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ યાદ રાખો કે હું જ સમય છું.
સમય રૈના હાલમાં તેના સ્ટેન્ડ-અપ શો સમય રૈના અનફિલ્ટર્ડ માટે કેનેડાના પ્રવાસ પર છે. તાજેતરમાં તેણે કેનેડાના એડમોન્ટનમાં માયર હોરોવિટ્ઝ થિયેટરમાં પર્ફોર્મ કર્યું. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સમયે તેના શોમાં કહ્યું- આ શોમાં ઘણી એવી ક્ષણો આવશે જ્યાં તમને લાગશે કે હું ખરેખર કંઈક ફની કહી શકું છું, પણ ત્યારે બીયર બાયસેપ્સને યાદ કરી લેજો ભાઈ. વધુમાં તેમણે જણાવ્યું કે’કદાચ મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ યાદ રાખજો મિત્રો, હું સમય છું’ કેનેડામાં સ્ટેન્ડ-અપ કરતી વખતે કોમેડિયન સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના વિવાદ વિશે મજાક કરી લોકોને હસાવ્યા હતા. સમયે મજાકમાં આ વિવાદનો ઉલ્લેખ કર્યો અને ઓડિયન્સને કહ્યું કે તમે ટિકિટ ખરીદેને મારા વકીલની ફી ચૂકવી તે બદલ તમારો આભાર.
શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.
