વિક્કી કૌશલની ‘છાવા’ની PM મોદીએ કરી પ્રશંસા

મુંબઈ: ફિલ્મ છાવા ઘણા સમયથી મોટા પડધા પર ધૂમ મચાવી રહી છે. વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની દમદાર એક્ટિંગ પર લક્ષ્મણ ઉતેકરના ડારેક્શને ફિલ્મ પર ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મ છાવાથી માત્ર દર્શકો જ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મરાઠા સમાજના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર સંભાજી મહારાજના જીવન પર બની છે. જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લડાઈ લડી અને પોતાનું બલિદાન આપ્યું હતું.

21 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન તાજેતરમાં વિક્કી કૌશલની રિલીઝ થયેલી છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત ફિલ્મ ‘છાવા’ના પણ નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર અને મુંબઈ જ છે જેમણે મરાઠી ફિલ્મોની સાથે-સાથે હિન્દી સિનેમાને પણ નવી ઊંચાઈઓ આપી છે અને હાલમાં ફિલ્મ ‘છાવા’ તો ધૂમ મચાવી રહી છે. સંભાજી મહારાજની વીરતાનો પરિચય આ સ્વરૂપમાં શિવાજી સાવંતની મરાઠી નવલકથામાં કરાવવામાં આવ્યો છે.’