શેરોમાં વેચાણો કપાતાં સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક સંકેતોને પગલે બજારમાં તેજી થઈ હતી. જેશી સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુની તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે 4.42 લાખ કરોડનો વધારો થયો હતો.  અગ્રણી કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં સેન્ટિમેન્ટ તેજીતરફી થયું હતું.

સરકારી બેન્કોમાં હિસ્સો ઘટાડવાનો નિર્ણય હાલપૂરતો ટાળી દેવામાં આવ્યો છે. બેન્કિંગ લો એમેડમેન્ટ બિલમાં હિસ્સાવાશી જોગવાઈમાં કોઈ બદલાવનો પ્રસ્તાવ નથી. આ બિલ લોકસભામાં રજૂ થયું હતું.

BSE સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળી 812 પોઇન્ટ ઊછળીને 79,705.91ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 248 પોઇન્ટ ઊછળીને 24,368ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 328 પોઇન્ટ વધીને 50,485 પર બંધ થયો હતો. મિડકેપ 493 પોઇન્ટ વધીને 57,174એ બંધ થયો હતો.

બજારના વિશ્લેષકોનું માનવું છે કે બજારમાં હજી વૈશ્વિક સંકેતોને કારણે 4-5 ટકાનું કરેક્શન આવી શકે છે. બજારમાં નાના-મોટા આંચકા આવતા રહેશે, કેમ કે મિડલ ઇસ્ટમાં સ્થિતિ ખરાબ છે. દેશનાં રાજ્યોમાં પણ આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. વળી, હાલ કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પણ પૂરાં થવામાં છે. જેથી બજાર ટૂંકી વધઘટે અથડાઈ જવાની સંભાવના છે.

BSE એક્સચેન્જ પર કુલ 4006 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2332 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1571 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 103 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 247 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 30 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટે પહોંચ્યા હતા.