જેટ એરવેઝના પાઈલટ્સની ‘ખાસ બીમારી’, 14 ફ્લાઈટ રદ

મુંબઈઃ આર્થિક ભંડોળને લઇને મુશ્કેલી અનુભવી રહેલી વિમાનન કંપની જેટ એરવેઝનું મેનેજમેન્ટ પોતાના પાઈલટસ તરફથી તકલીફ અનુભવી રહ્યું છે.મળતી ખબર પ્રમાણે જેટ એરવેઝના સંખ્યાબંધ પાઈલટ બીમારીની રજા ઉપર ઊતરી ગયાં છે જેને કારણે જેટ એરવેઝની 14 ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે.સૂત્રોથી મળતી માહિતી મુજબ જેટ એરવેઝ ઓગસ્ટ મહિનાથી પગાર કરી શકી નથી. તેના વરિષ્ઠ મેનેજમેન્ટ, પાયલોટ અને એન્જિનિયરને વેતન ચૂકવવામાં અસમર્થ છે. ત્યારે પાઇલટોને “માંદગી” ના કારણે 14 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક મહિના સુધી વેતન આપવામાં આવતું નથી, જેના કારણે પાઇલટ્સે ‘માંદગી’ માટે બહાનું મૂક્યું અને રજા લીધી. સૂત્રોએ જણાવ્યું હતું કે, જેટ એરવેઝ તેના વરિષ્ઠ મેનેજમેન્ટ, પાયલોટ અને એન્જિનિયરને વેતન ચૂકવવામાં અસમર્થ છે. જેટ એરવેઝે સપ્ટેમ્બર મહિનામાં તેમને પગાર આપ્યો હતો. પરંતુ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પગાર હજુ સુધી આપવામાં આવ્યું નથી.

‘બીમાર’  પાયલોટની માહિતી પછી 14 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જોકે, જેટ એરવેઝે જણાવ્યું છે કે ઉડ્ડયનને “અણધારી ઓપરેટિંગ કંડિશન” ના કારણે રદ કરવામાં આવી છે, પાઇલોટ્સના વિરોધને લીધે નથી થઈ.

જ્યારે અન્ય હવાલે મળતી ખબર પ્રમાણે પગાર મુદ્દે ઘણા પાઈલટોએ ચેરમેન નરેશ ગોયલને લખ્યું છે અને કહ્યું છે કે તેઓ આ રીતે કામ કરી શકશે નહીં.” જેટ એરવેઝે જણાવ્યું હતું કે ફ્લાઇટ્સ રદ કરાતાં પ્રવાસીઓને એસએમએસ દ્વારા ફ્લાઇટ સ્ટેટસ વિશે માહિતી આપવામાં આવી હતી. અને તેઓને અન્ય ફ્લાઇટ્સથી મોકલવામાં આવ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

જેટ એરવેઝે ફ્લાઈટ રદ મુદ્દે જણાવ્યું હતું કે, કંપનીને તેના કર્મચારીઓ તરફથી સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. સાથે સાથે, મેનેજમેન્ટ પાઇલટ્સ અને અન્ય કર્મચારીઓની ટીમો સાથે સતત સંપર્કમાં છે જેથી પગાર સહિત અન્ય મુદ્દાઓ પર ઉઠેલા વિવાદોને ઉકેલવામાં આવશે.