BCCI એ રવિવારે પંજાબ કિંગ્સ સિવાયની તમામ IPL ટીમોને મંગળવાર સુધીમાં પોતપોતાના સ્થળોએ રિપોર્ટ કરવા જણાવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે બોર્ડે મૌખિક રીતે બધાને કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં નવું શેડ્યૂલ બનાવવા અને IPL ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓને તેમના વિદેશી ખેલાડીઓને તેમની મુસાફરી યોજનાઓ વિશે માહિતી આપવા પણ કહ્યું છે.
BCCI 25 મે સુધીમાં IPL 2025 પૂર્ણ કરવા માંગે છે
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ મુજબ, શુક્રવારે IPL મુલતવી રાખ્યા પછી તરત જ, મોટાભાગના વિદેશી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તે જ સાંજે પોતાના ઘરે જવા રવાના થઈ ગયા. પરંતુ હવે ફ્રેન્ચાઇઝી તેમને પાછા લાવવાની વ્યવસ્થા કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓને મંગળવાર સુધીમાં રિપોર્ટ કરવા કહ્યું છે કારણ કે તે નિર્ધારિત તારીખે એટલે કે 25 મેના રોજ આઈપીએલ પૂર્ણ કરવા માંગે છે.
IPLમાં 16 મેચ બાકી છે
લીગમાં હજુ ૧૬ મેચ બાકી છે, તેથી બીસીસીઆઈ અનેક ડબલ હેડર સાથે લીગ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. જો બીસીસીઆઈને ભારત સરકાર તરફથી દેશભરમાં લીગનું આયોજન કરવાની મંજૂરી નહીં મળે, તો બાકીની મેચો બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં રમાઈ શકે છે.
અમે સરકાર પાસેથી પરવાનગી લઈશું – સાકિયા
આઈપીએલ ફરી શરૂ કરવા અંગે બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે તેઓ નવા શેડ્યૂલની જાહેરાત કરતા પહેલા સરકારની પરવાનગી લેશે. તેમણે કહ્યું, ‘આ સમયે IPLના મહત્વને જોતાં, તેને ફરી શરૂ કરવાનો સમય નક્કી કરતા પહેલા ભારત સરકારની પરવાનગી લેવી પણ જરૂરી રહેશે.’ સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ થયા પછી, BCCI ટૂંક સમયમાં IPL ફરી શરૂ કરવાની તારીખ જાહેર કરશે.
