BCCIએ એશિયા કપ ટ્રોફી અંગે નકવીને આપી ચેતવણી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ (BCCI)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીને સત્તાવાર ઇમેઇલ લખીને એશિયા કપની ટ્રોફી ભારતને પરત આપવાની માગ કરી છે. પાકિસ્તાન સામેની ફાઇનલમાં જીત્યા બાદ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી નકવીએ તે ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઓફિસમાં રાખી દીધી હતી.

BCCIએ નકવીને નવી ચેતવણી આપી છે કે તેઓ ટ્રોફી ભારતને પરત આપે, નહીં તો આવતા મહિને થનારી બેઠકમાં આ મામલો ICC સુધી લઈ જવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું.

 BCCIએ એશિયા કપ ટ્રોફી અંગે આપી ચેતવણી

ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ (BCCI)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીને સત્તાવાર ઇમેઇલ લખીને એશિયા કપની ટ્રોફી ભારતને પરત આપવાની માગણી કરી છે. જણાવી દઈએ કે પાકિસ્તાન સામેના ફાઇનલમાં જીત્યા બાદ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી નકવીએ તે ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના મુખ્યાલયમાં રાખી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર BCCIએ નકવીને નવી ચેતવણી આપી છે કે તેઓ ટ્રોફી ભારતને પરત આપે, નહીં તો આવતા મહિને થનારી બેઠકમાં આ મામલો ICC સુધી લઈ જવામાં આવશે.ACCની 30 સપ્ટેમ્બરની બેઠકમાં BCCIએ નકવીના વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે એશિયા કપ એ ACCની માલિકીનો છે. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ભાર આપીને કહ્યું હતું કે એશિયા કપ 2025ની ટ્રોફી સત્તાવાર રીતે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની વિજયી ભારતીય ટીમને સોંપવી જોઈએ અને તેને તાત્કાલિક ACCના અધિકાર હેઠળ રાખવી જોઈએ.

બીજી તરફ, BCCI નવેમ્બરમાં દુબઈમાં થનારી ICC બેઠકમાં આ મુદ્દો ઉઠાવવા માટે તૈયાર છે. ભારતીય બોર્ડ ACC અધ્યક્ષના વર્તન વિરુદ્ધ સત્તાવાર અને કડક વિરોધ નોંધાવવાની યોજના બનાવી રહ્યું છે. 30 સપ્ટેમ્બરના ACCની બેઠકમાં BCCIએ નકવીના વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે એશિયા કપ એ ACCની માલિકીનો છે.