પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે, તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન ફરી એકવાર પરમાણુ ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે જો ભવિષ્યમાં તેમના દેશને ભારતની સાથે અસ્તિત્વના ખતરાનો સામનો કરવો પડશે, તો ઇસ્લામાબાદ પોતાની સાથે “અડધી દુનિયા”નો નાશ કરશે. ધ પ્રિન્ટે ટેમ્પામાં આયોજિત એક કાર્યક્રમમાં મુનીરને ટાંકીને કહ્યું હતું કે, આપણે પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર છીએ, જો આપણને લાગે કે આપણે ડૂબી રહ્યા છીએ, તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું.

મુનીરે અમેરિકન ધરતી પરથી આ પરમાણુ ધમકી ટેમ્પામાં પાકિસ્તાનના માનદ કોન્સ્યુલ રહેલા ઉદ્યોગપતિ અદનાન અસદ માટે આયોજિત બ્લેક-ટાઈ ડિનરમાં આપી હતી.
પોતાની પરમાણુ ધમકી પછી, મુનીરે સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયથી 250 મિલિયન લોકો ભૂખમરાના જોખમમાં મુકાયા છે. તેમણે ચેતવણી આપી હતી કે તેઓ ભારત દ્વારા બંધ બનાવવાની રાહ જોઈ રહ્યા છે અને જ્યારે તે બંધ બનશે, ત્યારે તેઓ તેને 10 મિસાઇલોથી નાશ કરશે. તેમણે કહ્યું કે સિંધુ નદી ભારતીયોની પારિવારિક મિલકત નથી. હુમેં મિસાઇલ કી કામ નહીં હૈ, અલ-હમદુલિલ્લાહ.
બ્લેક-ટાઈ ડિનરમાં આમંત્રિતોને મોબાઇલ ફોન અથવા અન્ય કોઈપણ ડિજિટલ ઉપકરણો લઈ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી, અને ભાષણનો કોઈ ટેક્સ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો ન હતો, એમ સમાચાર માધ્યમોએ અહેવાલ આપ્યો છે. મુનીરે તેમના ભાષણમાં ઘણી વખત ભારત સાથેના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હોવાના અહેવાલ છે.




