ભારતના અર્જુન એરિગેસીએ જીત્યો WR Chess Masters Cup 2024

ભારતના અર્જુન એરિગેસીએ WR ચેસ માસ્ટર્સ કપ 2024 જીત્યો છે. WR ચેસ માસ્ટર્સ કપની ફાઈનલ લંડના ખાતે યોજાઈ હતી. તેણે ફ્રાન્સના મેક્સિમ વાચિયર-લાગ્રેવને હરાવીને જીત હાંસિલ કરી છે. આ સાથે જ અર્જુનને યુરો 20,000 પુરસ્કાર અને 27.84 FIDE સર્કિટ પોઈન્ટ્સ મળ્યા છે.

અર્જુને WR ચેસ માસ્ટર્સ કપ તો જીત્યો પરંતુ તે 2800નો આંકડો પાર કરી શક્યો ન હતો કારણ કે તેના ફ્રેન્ચ હરીફએ ક્લાસિકલ ગેમ્સમાં સતત બે ડ્રો કર્યા હતા. એરિગાસી જાણતે હતે કે તેની કારકિર્દીમાં પ્રથમ વખત 2800 પોઈન્ટ પાર કરવા માટે તેને અંતિમ દિવસે ક્લાસિકલ ચેસમાં જીતવું પડશે.

વાચિયર-લાગ્રેવે તેની તમામ ક્લાસિકલ રમતો ડ્રો કરી હતી, પરંતુ તેણે ત્રણમાંથી ત્રણ આર્માગેડન જીત્યા હતા. અર્જુને પોતાની વ્યૂહરચના વિશે કહ્યું કે,”મૂળભૂત રીતે મને લાગ્યું કે મારે તેને ક્લાસિકલમાં જ સમાપ્ત કરવી જોઈએ!”

2796.1ના લાઈવ રેટિંગ સાથે વિશ્વમાં ચોથા ક્રમે અર્જુન એરિગેસી છે. તેણે પ્રજ્ઞાનંદને પણ પાછળ છોડી દીધો.