દિવંગત વિજય રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ દર્શન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય નેતા વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને અંતિમ વિદાય આપવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે, સોમવારે (16 જૂન 2025) સાંજે 5 વાગ્યે રાજકોટમાં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આ ઉપરાંત, વિજયભાઈ રૂપાણી અને દુર્ઘટનાના અન્ય દિવંગતોની યાદમાં રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પાર્થિવદેહનો રૂટ અને અંતિમ દર્શન

રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આવતીકાલે સોમવારે સવારે 11.00 વાગ્યે વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. સવારે 11.30 વાગ્યે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે પાર્થિવદેહનો સ્વીકાર કરાશે. ત્યારબાદ, સવારે 11.30 થી 12.30 દરમિયાન પાર્થિવદેહને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી એરપોર્ટ લઈ જવામાં આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા રાજકોટ માટે ટેકઓફ થશે. બપોરે 2.00 થી 2.30 વાગ્યાની વચ્ચે પાર્થિવદેહને રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી લાવવામાં આવશે.


બપોરે 2.30 થી 4.00 વાગ્યા દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) ભવ્ય પ્રોસેસન દ્વારા લઈ જવામાં આવશે. આ પ્રોસેસન ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, સામેનો રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચશે. સાંજે 4.00 થી 5.00 વાગ્યા સુધી વિજયભાઈના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

અંતિમયાત્રાનો વિગતવાર રૂટ અને પ્રાર્થના સભાઓ

સાંજે 5.00 થી 6.00 વાગ્યા દરમિયાન નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન) થી શરૂ થઈને નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને અંતે રામનાથપરા સ્મશાન પહોંચશે.

16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ

  • 11:00 વાગે વિજયભાઈ રૂપાણીના પાર્થેવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાશે.
  • 11:30 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેહનો સ્વીકાર કરાશે.
  • 1:30 વાગ્યે દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવાશે અને ત્યાંથી એર લિફ્ટ દ્વારા રાજકોટ લઈ જવાશે.
  • 2:00 વાગ્યે પાર્થેવ દેહ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે.

રાજકોટ શહેરમાં જાહેર રૂટ:

  • એરપોર્ટથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી પાર્થેવ દેહને ખાસ રૂટ પરથી લઈ જવાશે.
  • રૂટમાંગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ જેવા મુખ્ય રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • સાંજે4:00 થી 5:00 દરમિયાન રાજકોટ સ્થિત નિવાસસ્થાન (પૂજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થેવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સાંજે5:00 વાગ્યાથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે.
  • યાત્રા દરમિયાનનિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ અને સ્વામિનારાયણ મંદિર જેવા માર્ગો પાસેથી અંતિમયાત્રા પસાર થશે.

17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા (રાજકોટ)

સ્થળ:રેસકોર્સ મેદાન
સમય:સાંજે 3:00 થી 6:00
વિજયભાઈ રૂપાણીના ચાહકો, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહેશે.

19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા (ગાંધીનગર)

સ્થળ:હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ
સમય:સવારે 9:00 થી 12:00

ગાંધીનગરમાં ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સભા

શુક્રવાર, 20 જૂન 2025 ના રોજ સાંજે 4.00 થી 6.00 વાગ્યા સુધી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા વિજયભાઈ રૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભા યોજાશે. વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોકનો માહોલ છે. આ અંતિમ યાત્રા અને પ્રાર્થના સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.