600 વિદ્યાર્થીઓ વાવશે 25,000 વૃક્ષ!

મુન્દ્રા: અદાણી વિદ્યામંદિર-ભદ્રેશ્વરના 12મા વાર્ષિક દિનની ‘ઉત્કર્ષ’ શીર્ષક હેઠળ અનોખી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 6 માર્ચ, 2024ના રોજ ઉજવાયો. વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આ વાર્ષિકોત્સવ સમર્પિત કર્યો હતો. 600 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ દરમિયાન શાળાના પરિસર તેમજ બહાર દરિયાકિનારે મેન્ગ્રોવ સહિત 25,000થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ કર્યો હતો. ‘ઉત્કર્ષ’ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળ સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રદર્શિત કર્યા હતા. તેમનો આ અભિગમ પર્યાવરણ અને જળ સરંક્ષણ માટેનો છે. જેને તેઓએ સ્કીટ્સ, ગીતો અને કવિતાઓ પર કાર્યકારી મોડલ્સ દ્વારા 17 સસ્ટેન્બલ ડેવલપમેન્ટ ગોલ્સના સાર અને મહત્વ દર્શાવતા પ્લેટફોર્મ સમાન હતો. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને દરિયાકાંઠાની જૈવવિવિધતાને બચાવવાની વિગતોથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ્ં કે, વિદ્યાર્થીઓની આ પ્રતિજ્ઞા ધરતી પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ મુન્દ્રાના પ્રાંત અધિકારી ચેતન મિસા અને અદાણી ગ્રુપના CFO જુગશિન્દર (રોબી) સિંહ શાળામાં ઉપસ્થિત સુવિધાઓ અને બાળકોની વિવિધ વિષય પ્રત્યેની સમજણ તેમજ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા.

‘ઉત્કર્ષ 2024’ કાર્યક્રમમાં કચ્છના આગેવાનો, માછીમાર સમુદાયના સભ્યો, વાલીગણ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર 2012થી કાર્યરત છે. જેમાં ભદ્રેશ્વર અને તેની આસપાસના વંચિત સમુદાયોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સંલગ્ન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષ 2022માં NABET માન્યતા પ્રાપ્ત કરનાર તે ગુજરાતી માધ્યમની પ્રથમ GSEB સંલગ્ન શાળા બની હતી.