ગાંધીનગરઃ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧, આજે હર્ષ સંઘવીએ વિધિવત્ નાયબ મુખ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળતાં પહેલાં ભગવાનનાં દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને નાગરિકોની જનસુખકારી માટે પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સાથી સભ્ય તરીકે ચાર્જ સંભાળવાની તક મળી છે. આજે ચાર્જ સંભાળ્યા બાદ નાયબ મુખ્ય મંત્રીએ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી છે.
आज धनतेरस के शुभ एवं पावन अवसर पर नए पद का कार्यभार ग्रहण किया।
पूजा-अर्चना कर ईश्वर एवं सभी वरिष्ठजनों का आशीर्वाद प्राप्त किया।
नई ऊर्जा, नए संकल्प और पूर्ण समर्पण के साथ प्रदेश की सेवा के लिए प्रतिबद्ध हूँ। pic.twitter.com/SGlotkyEa8— Harsh Sanghavi (@sanghaviharsh) October 18, 2025
તે ઉપરાંત સાથી મંત્રીઓ અને ભૂતપૂર્વ મંત્રીઓ સાથે બેઠક યોજીને તેમના અનુભવનું માર્ગદર્શન તેમ જ તેમના સહયોગથી રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધુમાં વધુ વધારો થાય તે દિશામાં કામ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ચાર્જ સંભાળવાના આ પ્રસંગે અલગ-અલગ જિલ્લાઓ અને શહેરોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શુભેચ્છકોએ હર્ષ સંઘવીને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.
કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણીએ, શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબાએ પદભાર સંભાળ્યો
કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગરમાં પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત્ રીતે પદભાર સંભાળ્યો હતો.
આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગરમાં ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો.
કૃષિ મંત્રી તેમ જ શિક્ષણ રાજ્ય મંત્રીએ ચાર્જ સંભાળ્યો તે વેળાએ વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
