હિમવર્ષાઃ બદરી-કેદાર યાત્રા અટકી…

સોમવારથી શરૂ થયેલી અને 8 મે, મંગળવારે પણ ચાલુ રહેલી ભારે હિમવર્ષા તથા ભારે વરસાદ તેમજ ભેખડો ધસી પડવાની ઘટનાઓને કારણે ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલય પર્વતમાળામાં આવેલા યાત્રાધામો – બદરીનાથ અને કેદારનાથની યાત્રા અટકાવી દેવી પડી હતી. આ કુદરતી આફતોને કારણે સેંકડો યાત્રાળુઓ અધવચ્ચે માર્ગમાં ફસાઈ ગયા હતા.

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવત તથા અન્ય નેતાઓ કેદારનાથમાં ફસાઈ ગયા